logo છેલ્લી જાગીર
Pashudhan vima sahay yojana : પશુના વીમા પર મળે છે 85 ટકા પ્રીમિયમ સહાય, Ikhedut પર શરૂ થઈ ગઈ છે અરજી

By Chhelli Jagir

June 1, 2026

પશુઓના આકસ્મિક મૃત્યુના કિસ્સામાં જો પશુનો વીમો લેવામાં આવ્યો હોય તો પશુપાલકને વીમાની રકમમાંથી નવા પશુની ખરીદી કરી શકાય છે. આથી પશુપાલન વ્યવસાય સતત ચાલુ રાખવામાં સહાય મળે છે.

પશુઓના આકસ્મિક મૃત્યુના કિસ્સામાં જો પશુનો વીમો લેવામાં આવ્યો હોય તો પશુપાલકને વીમાની રકમમાંથી નવા પશુની ખરીદી કરી શકાય છે. આથી પશુપાલન વ્યવસાય સતત ચાલુ રાખવામાં સહાય મળે છે.

Pashudhan vima sahay yojana : ગુજરાત સરકારના પશુપાલન વિભાગ દ્વારા પશુપાલકોને આર્થિક સુરક્ષા આપવા માટે પશુધન વીમા સહાય યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ પશુઓના આકસ્મિક મૃત્યુ અથવા નુકસાનના સંજોગોમાં પશુપાલકોને વીમા સુરક્ષા મળી રહે તે માટે વીમા પ્રીમિયમ પર સરકાર દ્વારા મોટી સહાય આપવામાં આવે છે.

પશુપાલન વ્યવસાય સાથે જોડાયેલા ખેડૂતો અને પશુપાલકો માટે આ યોજના ખૂબ જ લાભદાયી સાબિત થઈ શકે છે. ખાસ કરીને દુર્ઘટના, કુદરતી આફત અથવા અન્ય કારણોસર પશુનું મૃત્યુ થાય ત્યારે થતું આર્થિક નુકસાન ઘટાડવામાં આ યોજના મદદરૂપ બને છે.

Gujarat cattle insurance scheme : શું છે પશુધન વીમા સહાય યોજના?

પશુઓના આકસ્મિક મૃત્યુના કિસ્સામાં જો પશુનો વીમો લેવામાં આવ્યો હોય તો પશુપાલકને વીમાની રકમમાંથી નવા પશુની ખરીદી કરી શકાય છે. આથી પશુપાલન વ્યવસાય સતત ચાલુ રાખવામાં સહાય મળે છે. વધુમાં વધુ પશુપાલકો પોતાના પશુઓનો વીમો કરાવે તે હેતુથી સરકાર વીમા પ્રીમિયમમાં સહાય પણ આપે છે.

Animal insurance subsidy Gujarat : વીમા પ્રીમિયમ પર કેટલી સહાય મળશે?

યોજનાના નિયમો અનુસાર પશુ વીમા પ્રીમિયમમાં નેશનલ લાઈવસ્ટોક મિશન (NLM) અને રાજ્ય સરકારના સંયુક્ત સહયોગથી કુલ 85 ટકા સહાય આપવામાં આવે છે.

  • વીમા પ્રીમિયમની 85% રકમ સરકાર ચૂકવશે.

  • પશુપાલકે માત્ર 15% રકમ પોતે ભરવાની રહેશે.

  • ઓછી કિંમતમાં પશુનો વીમો મેળવી આર્થિક સુરક્ષા મેળવી શકાય છે.

Ikhedut pashu vima 2026 : કોને મળશે લાભ?

આ યોજના હેઠળ નીચે મુજબના પશુપાલકો લાભ મેળવી શકે છે.

  • 1 થી 3 વર્ષ વય ધરાવતી ગાય અને ભેંસ.

  • એક લાભાર્થીને વધુમાં વધુ 10 પશુઓ માટે સહાયનો લાભ મળશે.

  • રાજ્યના પાત્ર પશુપાલકો યોજના હેઠળ અરજી કરી શકશે.

how to apply pashu vima : અરજી કેવી રીતે કરવી?

પશુધન વીમા સહાય યોજનાનો લાભ મેળવવા માટે પશુપાલકોએ નીચેની પ્રક્રિયા અનુસરવાની રહેશે.

  1. I-Khedut Portal પર ઓનલાઇન અરજી કરવી.

  2. જરૂરી દસ્તાવેજો સાથે અરજી I-Khedut પોર્ટલ પર અપલોડ કરવી.

  3. અરજી કર્યા બાદ પશુપાલન કચેરી અથવા નિર્ધારિત સ્થળે પશુનું ટેગિંગ અને ચકાસણી પ્રક્રિયા પૂર્ણ કરાવવી.

government subsidy on cattle insurance : જરૂરી દસ્તાવેજો

  • આધાર કાર્ડ

  • બેંક પાસબુકની નકલ

  • પશુની વિગતો

  • અરજી ફોર્મ

  • અન્ય જરૂરી દસ્તાવેજો (વિભાગ દ્વારા માંગવામાં આવે તે મુજબ)

સરકાર દ્વારા વીમા પ્રીમિયમની 85 ટકા સહાય ઇન્શ્યોરન્સ કંપનીને સીધી ચૂકવવામાં આવશે. ત્યારબાદ પશુપાલકે પોતાના હિસ્સાની 15 ટકા પ્રીમિયમ રકમ વીમા કંપની અથવા તેના પ્રતિનિધિને ભરવાની રહેશે. આ રકમ ભર્યાની પહોંચ અથવા પાવતી રજૂ કર્યા પછી જ વીમા પ્રક્રિયા પૂર્ણ ગણાશે.

Chhelli Jagir
Chhelli Jagir
Search Articles

Explore the latest content and jump into any post quickly.

Start typing to search posts.