By Super Admin
April 4, 2026
ગુજરાત સરકારે જમીન વ્યવહારના નિયમોમાં ફેરફાર કરતા ટુકડાધારા કાયદામાં સુધારા માટે વટહુકમ બહાર પાડ્યો છે. નવા નિયમો અનુસાર, હવે લઘુત્તમ 20 ગુંઠાના બદલે 10 ગુંઠા જમીનનું પણ ખરીદ-વેચાણ કાયદેસર રીતે કરી શકાશે.
ગુજરાત સરકારે જમીન વ્યવહારના નિયમોમાં ફેરફાર કરતા ટુકડાધારા કાયદામાં સુધારા માટે વટહુકમ બહાર પાડ્યો છે. નવા નિયમો અનુસાર, હવે લઘુત્તમ 20 ગુંઠાના બદલે 10 ગુંઠા જમીનનું પણ ખરીદ-વેચાણ કાયદેસર રીતે કરી શકાશે. રાજ્યપાલની મંજૂરી બાદ આ નવો અમલ શરૂ થતા જમીન માલિકો અને ખેડૂતોને કાયદાકીય પ્રક્રિયામાં સરળતા રહેશે.
કાયદાકીય ફેરફાર અને તેની અસરો
વર્ષ 1948થી અમલી આ કાયદામાં સુધારો કરીને ગ્રામ્ય વિસ્તારો માટે જમીનનું લઘુત્તમ ક્ષેત્રફળ 10 ગુંઠા નક્કી કરવામાં આવ્યું છે. એટલે કે હવે 10,890 સ્ક્વેર ફૂટ જેટલી જમીનના ટુકડાના સોદા પણ માન્ય ગણાશે, જે અગાઉ બિનકાયદેસર ગણવામાં આવતા હતા. આ નિર્ણયને કારણે રેવન્યુ કોર્ટમાં લાંબા સમયથી ચાલતા કેસોના નિકાલમાં ઝડપ આવશે અને મિલકત ધારકોને કાયદાકીય રક્ષણ મળશે.
135-D નોટિસના સમયગાળામાં ઘટાડો
જમીન દસ્તાવેજની વહીવટી પ્રક્રિયાને વધુ ઝડપી બનાવવા માટે સરકારે 135-Dની નોટિસના સમયગાળામાં પણ ઘટાડો કર્યો છે. અગાઉ આ નોટિસ માટે 30 દિવસની સમયમર્યાદા હતી, જેને ઘટાડીને હવે માત્ર 7 દિવસ કરવામાં આવી છે. આ ફેરફારથી જમીન નોંધણીમાં થતો વિલંબ ઘટશે અને વાંધા-અરજીઓની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ થશે.