By Chhelli Jagir
May 24, 2026
ગુજરાતમાં અન્ય મોટા કૃષિ રાજ્યોની સરખામણીએ આંકડો ઓછો હોવા છતાં છેલ્લા કેટલાક વર્ષોમાં વધારો નોંધાયો છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તારમાં પાક નિષ્ફળતા, વરસાદની અનિશ્ચિતતા, વધતું દેવું અને ખેતી ખર્ચમાં વધારો ખેડૂતો માટે ગંભીર સમસ્યા બની રહ્યા છે.
Farmer Suicide in Gujarat : ગુજરાત ખેતીપ્રધાન રાજ્ય છે પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં ખેડૂતોની આત્મહત્યાના આંકડાઓએ ચિંતા વધારી છે. National Crime Records Bureau (NCRB) ના આંકડા દર્શાવે છે કે સમગ્ર દેશમાં ખેડૂતો અને કૃષિ મજૂરોની આત્મહત્યાના કેસ સતત 10 હજારથી વધુ રહ્યા છે. વર્ષ 2024માં દેશમાં કુલ 10,546 ખેડૂત અને કૃષિ મજૂરોએ આત્મહત્યા કરી હતી.
ગુજરાતમાં અન્ય મોટા કૃષિ રાજ્યોની સરખામણીએ આંકડો ઓછો હોવા છતાં છેલ્લા કેટલાક વર્ષોમાં વધારો નોંધાયો છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તારમાં પાક નિષ્ફળતા, વરસાદની અનિશ્ચિતતા, વધતું દેવું અને ખેતી ખર્ચમાં વધારો ખેડૂતો માટે ગંભીર સમસ્યા બની રહ્યા છે.
Farmer Suicide : ગુજરાતમાં વર્ષ પ્રમાણે ખેડૂતોની આત્મહત્યાના આંકડા
ઉપલબ્ધ NCRB અને સંસદીય આંકડાઓ અનુસાર ગુજરાતમાં ખેડૂતોની આત્મહત્યાના કેસોમાં ધીમે ધીમે વધારો જોવા મળ્યો છે.
વર્ષ | અંદાજિત કેસ |
|---|---|
2014 | 57 |
2015 | 98 |
2016 | 87 |
2017 | 55 |
2018 | 62 |
2019 | 67 |
2020 | 79 |
2021 | 97 |
2022 | 112 |
2023 | 126 |
વિશેષજ્ઞોનું માનવું છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં હવામાન પરિવર્તનના કારણે ખેતી વધુ જોખમી બની છે. કપાસ, મગફળી અને ડુંગળી જેવા પાકોમાં ભાવમાં ભારે ચઢાવ-ઉતાર થતા ખેડૂતોની આવક પર સીધી અસર પડી રહી છે.
Farmer Suicides in Gujarat : સૌરાષ્ટ્ર સૌથી વધુ અસરગ્રસ્ત
ઉપલબ્ધ અહેવાલો અનુસાર ગુજરાતમાં થયેલી ખેડૂતોની આત્મહત્યામાંથી અડધાથી વધુ કેસ સૌરાષ્ટ્ર વિસ્તારમાં નોંધાયા છે. અમરેલી, રાજકોટ, જૂનાગઢ અને ભાવનગર જેવા જિલ્લાઓમાં ખેડૂતો પર વધતું દેવું અને પાક નુકસાન મુખ્ય કારણ તરીકે સામે આવે છે.
દેશવ્યાપી સ્થિતિ પણ ગંભીર
NCRBના 2023ના આંકડા મુજબ દેશમાં કુલ 10,786 ખેડૂત અને કૃષિ મજૂરોએ આત્મહત્યા કરી હતી, જેમાંથી સૌથી વધુ કેસ મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં નોંધાયા હતા. મહારાષ્ટ્ર એકલું જ કુલ કેસોમાં લગભગ 38 ટકા હિસ્સો ધરાવે છે. વર્ષ 2024માં આંકડામાં થોડો ઘટાડો થયો હોવા છતાં સમસ્યા હજુ ગંભીર છે.
કૃષિ નિષ્ણાતોના મતે લોન માફી સાથે સાથે ખેડૂતોને સ્થિર આવક, પાકના યોગ્ય ભાવ, સમયસર વીમા ચૂકવણી અને સિંચાઈની સુવિધા વધારવી જરૂરી છે.